Welcome to Great kathiyawad
Great Kathiyawad
By Gautam Kotila

જોગીદાસ ખૂમાણનો પ્રસંગ

ભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એટલી આજ સોસાયટી માં નથી .એનો એક પ્રસંગ . પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે . એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા આવેલી . વગડા માં સતર અઢાર વરસ ની દિકરી ને એકલી જોઈ એ ઘોડેસવાર એના પાસે ગયો . પાસે જઈ પૂંછ્યું કેઃ ''બેટા , એકલી છો ?'' કે' ''હા,બાપુ ! માવતર તો નાનપણ માં મરી ગ્યાં છે . એકલી છું .'' કે' ''બેટા , એમ નથી કે'તો , પણ વગડા માં દુર દુર સુધી કોઈ દેખાતું નથી . તો તને તારી આબરૂ જોખમાવા ની બીક નથી લાગતી ?'' ત્યારે એ દિકરીએ કહ્યું કેઃ ''બાપુ , જોગીદાસ ખુમાંણ નું બહારવટું હાલતું હોય , તો કોની માની તાકાત છે કે બેનું દિકરીયું સામીં કુડી નજર કરે ?" એ ઘોડેસવાર ત્યાંથી ચાલતો તો થઈ ગયો ,પણ એ ઘોડેસવાર બીજું કોઈ નહી પણ બહારવટિયો જોગીદાસ ખુમાણ પોતે હતો. એણે મનોમન ભગવાન ને પ્રાર્થના કરી કેઃ''હે ભગવાન , મારૂં બહારવટું પાર પડે કે ન પડે એની મને પરવા નથી . મારો ગરાસ મને પાછો મળે કે ના મળે એનીય મને ચિંતા નથી . ઈતો જીવીશ ત્યાં લગી ઝુઝીશ .પણ પ્રભુ , મારી આબરૂ જીવું ત્યાં લગી આવી ને આવી રાખજે ." ઓઢીને કાળી કામળી ગૌધણ કન્યા ચારતી , બરકી હતી એને બા'રવટિયે લેશ પણ થડકી ન'તી , હું બીઉં તો બાપુ દુધ લાજે જોગીદાસ ની જણનારી નાં , એવી વટ વચન ને શૌર્ય વાળી કોમ છે સૌરાષ્ટ્ર માં . કહેવાનો મારો અર્થ કે દિકરી બહારવટાં ના સમયે જેટલી નિર્ભય રીતે ફરી શકતી એટલી આજે સોસાયટીમા નથી ફરી શકતી . આજના સમાજની આ કરૂણતા છે
 
Powered by Gautam Kotila This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free